ચેન્નઈ અને કોલકાતા વચ્ચે પહેલી મેચ, બંને ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે; જાણો ઓપનિંગ સેરેમની કેમ રદ થઈ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષે ટૂર્નામેન્ટની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. તમને જણાવી દઈએ કે આ બંને ટીમ વચ્ચે 2021ની ટાઈટલ મેચ રમાઈ હતી જેને કેપ્ટન કૂલની ટીમ CSKએ જીતી લીધી હતી. બંને ટીમમાં વિદેશી ખેલાડી શરૂઆતની કેટલીક મેચ નહીં રમી શકતા હોવાથી ટીમ કોમ્બિનેશન બનાવવું કેપ્ટનના હાથમાં રહેશે. તો વળી બીજી બાજુ બંને ટીમની કમાન નવા કેપ્ટનના હાથમાં રહેશે. જોકે આ સિઝનમાં પણ ઓપનિંગ સેરેમનીનું આયોજન કરાયું નથી. તો ચલો આપણે આની પાછળના કારણો સહિત બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11 તથા પિચ રિપોર્ટ પર નજર ફેરવીએ…

મેચની વિગતો:-

  • સ્થળઃ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ
  • સમયઃ 7.30 PM
  • લાઈવ સ્ટ્રિમિંગ- સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક, ડિઝ્ની પ્લસ હોટસ્ટાર અને દિવ્ય ભાસ્કરની એપ્લિકેશન પર લાઈવ અપડેટ જોવા મળશે
  • ઈન્જરી અપડેટઃ દિપક ચાહર ઈજાગ્રસ્ત હોવાથી તે આ મેચ રમશે નહીં

પિચ રિપોર્ટ:-

મુંબઈના વાનખેડેની પિચ ફાસ્ટ બોલર્સ ફ્રેન્ડલી રહેશે. જેમાં શરૂઆતની કેટલીક ઓવર્સ બેટરને ગ્રાસ ટોપ વિકેટ મુશ્કેલીમાં મુકી શકે છે. જોકે ત્યારપછી બંને ટીમના ફિનિશર ગેમમાં આવતા મેચ રોમાંચક થઈ શકે છે. વળી આ મેદાન પર ટોસ જીતી કેપ્ટન પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લઈ શકે છે.

ફાઈલ ફોટો

બંને ટીમ નવા કેપ્ટન સાથે શરૂઆત:-

મહેન્દ્ર સિંહ ધોનીએ IPLની શરૂઆત પહેલા કેપ્ટનશિપ છોડી દીધી છે. હવે ચેન્નઈની કમાન વર્લ્ડના નંબર-1 ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સોંપવામાં આવી છે. તો બીજી બાજુ કોલકાતા નાઈટ રાઈડર્સની કમાન હવે શ્રેયસ અય્યરને મળી છે. જોકે શ્રેયસે આની પહેલા દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશિપ કરી છે, તેથી કોલકાતા અને ચેન્નઈના ભવિષ્યને જોતા બંને ટીમ માટે આ મેચ મહત્ત્વપૂર્ણ રહેશે.

ઓપનિંગ સેરેમની રદ થવાનું કારણ:-

IPLની 12મી સિઝનના લગભગ દોઢ મહિના પહેલા એટલે કે 14 ફેબ્રુઆરી 2019ના દિવસે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો હતો, જેમાં કુલ 40 ભારતીય જવાનો શહીદ થયા હતા. તે જ સમયે, આ શહીદોના સન્માનમાં IPLની ઓપનિંગ સેરેમની રદ કરવામાં આવી હતી. વળી ત્યારપછી આ સેરેમનીમાં વધારે પડતા રૂપિયાનો વપરાશ થતો જોઈને BCCIએ તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો. તમને જણાવી દઈએ કે IPLની છેલ્લી ઓપનિંગ સેરેમની વર્ષ 2019માં યોજાઈ હતી.

IPL સેરેમનીની ફાઈલ તસવીર

તે જ સમયે, વર્ષ 2020 અને 2021મા કોરોના મહામારીના કારણે, ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું નહોતું. તે જ સમયે, હવે આ સીઝનમાં, એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે કર્ટેન રેઝર ઈવેન્ટ (આઈપીએલ 2022 ઓપનિંગ સેરેમની અપડેટ) ચોક્કસપણે આયોજિત કરવામાં આવશે, પરંતુ BCCIએ આનું આયોજન કરવાની ના પાડી દીધી છે.

IPL સેરેમનીની ફાઈલ તસવીર

BCCIએ ઓપનિંગ સેરેમની સામે સંપૂર્ણપણે રોક લગાવી:-

તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં IPLની ઓપનિંગ સેરેમનીને લઈને BCCIએ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને કહ્યું હતું કે આ રૂપિયાની બરબાદી છે. તે જ સમયે, BCCIના એક અધિકારીએ કહ્યું હતું કે ફેન્સને ઓપનિંગ સેરેમનીમાં રસ નથી. વળી આ માટે બોર્ડે તેમાં પરફોર્મ કરનારા સ્ટાર્સને તગડી રકમ ચૂકવવી પડે છે. આવી સ્થિતિમાં, ઓપનિંર સેરેમનીના કારણે બોર્ડનું બજેટ બગડી જતા એને સંપૂર્ણ રીતે રદ કરવાની યોજના બનાવી લીધી હતી.

બંને ટીમની સંભવિત પ્લેઇંગ-11:

ઋતુરાજને નવો ઓપનિંગ પાર્ટનર મળશે:-

ફાફ ડુપ્લેસિસ RCBમાં પસંદ થયો હોવાથી હવે ઋતુરાજ ગાયકવાડ સાથે ડેવોન કોનવે ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરી શકે છે. તેવામાં ચેન્નઈને રવીન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો અને શિવમ દુબે જેવા ખેલાડી પાસેથી શાનદાર પ્રદર્શનની આશા રહેશે. જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં દિપક ચાહરની ગેરહાજરીમાં એડમ મિલ્ને, રાજવર્ધન હંગરગેકર પણ CSKના ફ્રન્ટ લાઈન બોલિંગ એટેકને સંભાળી શકે છે.

  • CSK: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, રોબિન ઉથપ્પા, શિવમ દુબે, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની, ડ્વેન બ્રાવો, રાજવર્ધન હંગરગેકર, ક્રિસ જોર્ડન, મહીશ થીક્ષણા

રહાણે અને વેંકટેશની એન્ટ્રી નક્કી:-

છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા અજિંક્ય રહાણેને કોલકાતાની ટીમ ઓપનિંગ કરવા ઉતારી શકે છે. તેની સાથે વેંકટેશ અય્યર જોવા મળી શકે છે. જેમાં શ્રેયસ અય્યર ત્રીજા નંબર પર બેટિંગ કરે એવી સંભાવના છે. તેવામાં મિડલ અને લોઅર મિડલ ઓર્ડરમાં સેમ બિલિંગ્સ, આંદ્રે રસેલ અને સુનિલ નરેન સંભાળી શકે છે. તો બીજી બાજુ બોલિંગ ડિપાર્ટમેન્ટની જવાબદારી શિવમ માવી, ઉમેશ યાદવ અને વરુણ ચક્રવર્તી સંભાળી શકે છે.

  • KKR: અજિંક્ય રહાણે, વેંકટેશ અય્યર, શ્રેયસ અય્યર (કેપ્ટન), નિતીશ રાણા, સેમ બિલિંગ્સ, આંદ્રે રસેલ, સુનિલ નરેન, શિવમ માવી, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી